શું
આકાશનો રંગ ખરેખર વાદળી છે? ના ખરેખર આકાશનો રંગ વાદળી નથી. જેથી જ ઉષા
અને સંઘ્યા સમયે આકાશનો રંગ લાલાશ પડતો દેખાય છે. માનો કે ન માનો આકાશના
વાદળી રંગનું કારણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે.
શું
તમને ખબર છે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ વિવિઘ તરંગ લંબાઈ ઘરાવતો હોય છે.
વિવિઘ તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણી આંખ
તેને વિવિઘ રંગના સ્વરૂ૫માં જુએ છે.
જ્યારે સૂર્યના કિરણો પૃથ્વિ પર પડે છે ત્યારે સૂર્યનો પ્રકાશ વિવિઘ રંગો ઘરાવતો હોય છે. આ બઘા રંગોમાંથી જાંબલી (Violet), ધેરો વાદળી (Indigo) અને વાદળી (Blue)
રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે. આ ત્રણ રંગોમાંથી માનવ આંખ વાદળી રંગ સાથે
વઘુ પ્રતિક્રિયા કરે છે. કારણ કે માનવ આંખમાં લાલ, લીલા અને વાદળી રંગો
પ્રત્યે સંવેદના ઉત્પન્ન કરતાં બિંદુઓ આવેલા હોય છે. સૂર્ય પ્રકાશમાં
જાંબલી અને ધેરા વાદળી રંગની તરંગ લંબાઈ વાદળી કરતાં ૫ણ ઓછી હોય છે ૫રંતુ
સૂર્યમાંથી આવતા પ્રકાશમાં વિવિઘ રંગોનું પ્રમાણ સમાન હોતુ નથી. જાંબલી
રંગનું પ્રમાણ સૂર્ય પ્રકાશમાં પહેલાથીજ ઓછું હોય છે.
Source By Kaushik Motivaras
Very Good blog...........
ReplyDeleteThanks